Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ખાદ્ય ચીજ વસ્તુઓની અછતથી યુએનએ આપી ચેતવણી

નવી દિલ્હી: ખાદ્યચીજોની વૈશ્વિક અછતના લીધે દુનિયા ઉપર એક આફતના વાદળો ઘેરાય રહ્યા હોવાની ચેતવણી યુનાઇટેડ નેશન્સ (UN) વડાએ આજે આપી હતી. જળવાયુ પરિવર્તન, કોરોના વાયરસની મહામારી અને આર્થિક અસમાનતા જેવી સ્થિતિઓના કરને ઉભી થયેલી સમસ્યામાં હવે યુક્રેનમાં યુદ્ધના પરીબળનો ઉમેરો થયો છે જેના કારણે ક્યારેય જોવા મળ્યું ન હોય એ પ્રકારે હજારો લાખો લોકોને અસર થાય એવો ભૂખમરો શરુ થયો છે એમ UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે જણાવ્યું હતું. "વર્ષ 2022માં કેટલીયે જગ્યાએ ભૂખમરો જાહેર કરવો પડશે એવું જોખમ ઉભું થયું છે અને વર્ષ 2023ની સ્થિતિ તો અત્યારે છે તેના કરતા પણ ખરાબ હશે," એમ ગુટેરસે બર્લિનમાં એકત્ર થયેલા વિકાસશીલ રાષ્ટ્રો અને લગબગ એક ડઝન જેટલા ધનિક રાષ્ટ્રોના અધિકારીઓને વિડીયો મેસેજના માધ્યમથી જણાવ્યું હતું. વિશ્વ ખેડૂતો જયારે ફર્ટીલાઈઝર અને ઉર્જાના ઊંચા ભાવોથી પરેશાન છે ત્યારે એશિયા, આફ્રિકા અને અમેરિકા ખંડના પાક ઉપર તેની અસર જોવા મળશે. "અત્યારે અનાજ એકત્ર કરવાની સ્મ્ય્સા છે જે આવતા વર્ષે અનાજની અછતની સમસ્યા બનશે. આવી આફતની માઠી અસરથી કોઈપણ દેશ બાકાત રહેશે નહી," એમ તેણે ઉમેર્યું હતું.

(6:13 pm IST)