Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ઇરાકની રાજધાની બગદાદમાં આત્મઘાતી વિસ્ફોટમાં 13 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: Iraqની રાજધાની બગદાદ(Baghdad) બે આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠી. આત્મઘાતી હુમલો કરનારાઓએ સેન્ટ્રલ બગદાદની એક બજારમાં વિસ્ફોટકોથી પોતાને ઉડાવી દીધા. આ બે આત્મઘાતી હુમલામાં 13 લોકોના મૃત્યુ થયા છે તેમજ 20થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આત્મઘાતી હુમલા ખૂબ જ દુર્લભ માનવામાં આવી રહ્યાછે, કેમકે સેનાએ 2017માં ઈરાકમાંથી ઈસ્લામિક સ્ટેટ(ISIS)ને હરાવીને ત્યાંથી ખદેડી દીધું હતું. 2017 બાદ આવા હુમલાની આ પ્રથમ ઘટના છે.

            પોલીસના જણાવ્યા અનુસાર બગદાદના તયારણ ચોકમાં ભીડવાળી બજારમાં આ આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા છે. આ આત્મઘાતી હુમલામાં 13 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે તેમજ 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આત્મઘાતી હુમલામાં મારનારાઓની સંખ્યા વધી શકે છે. હજી સુધી કોઈ આતંકી સંગઠને આ આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી નથી.

(5:33 pm IST)