Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મારિયૂપોલમાં લડાઈ સમાપ્ત થઇ હોવાની માહિતી:1000 યુક્રેનિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હોવાના સમાચાર

નવી દિલ્હી: રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવુ છે કે આ અઠવાડિયે અત્યાર સુધીમાં લગભગ 1000 યુક્રેનિયન લડવૈયાઓએ યુદ્ધગસ્ત શહેર મારિયુપોલના એઝોવસ્ટલ પ્લાન્ટમાં આત્મસમર્પણ કર્યું છે. રશિયન સૈનિકોએ 19 એપ્રિલે પ્લાન્ટ પર હુમલો કર્યો હતો અને મોટા ભાગના વિસ્તારોનો નાશ કર્યો હતો. જો કે, રશિયન સૈનિકો હોવા છતાં મોટી સંખ્યામાં યુક્રેનિયન સૈનિકો ઘણા દિવસો સુધી ઉભા રહ્યા હતા. રશિયાએ બુધવારે દાવો કર્યો હતો કે, લગભગ 1,000 યુક્રેનિયન સૈનિકોએ મારિયુપોલમાં સ્ટીલ પ્લાન્ટમાં આત્મસમર્પણ કર્યું છે. તે જ સમયે, યુક્રેનિયન સૈનિકોએ આવા સ્થળોની રક્ષા કરવાનું બંધ કર્યું જે દેશના પ્રતિરોધનું પ્રતીક હતું. સાથે જ બંદરીય શહેર મેરીયુપોલમાં લડાઈ સમાપ્ત થઈ ગઈ હોય તેવું લાગે છે. અહેવાલો પ્રમાણે યુક્રેને પોતાના લડવૈયાઓને તેમનો જીવ બચાવવા માટે આદેશ આપીને કહ્યું હતું કે રશિયન સૈનિકોનો સામનો કરવાનું તેમનું મિશન હવે પૂર્ણ થઈ ગયું છે. યુક્રેનિયન સૈનિકોનું ભાવિ અનિશ્ચિત લાગે છે. યુક્રેન કહેવું છે કે, તે યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા માટે આતુર છે જ્યારે રશિયા યુદ્ધ અપરાધો માટે તેમાંથી કેટલાકને લેવાનું વિચારી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, મારિયુપોલ શહેરમાં યુક્રેનના કબજા હેઠળના છેલ્લા વિસ્તારમાં છુપાયેલા લગભગ એક હજાર યુક્રેનિયન સૈનિકો ત્યાંથી નીકળી ગયા છે.

 

(6:29 pm IST)