Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

કેસરનો આ ઘરેલુ ઉપચાર ટાલની સમસ્યાથી આપશે છુટકારો

કેસરના ફાયદા તમને નહીં ખબર હોય

નવી દિલ્હી તા.૧૨ : કેસરની પોતાની પ્રકૃત્ત્િ। ગરમ હોય છે જેનો આયુર્વેદમાં અનેક ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં કેસનું ઉત્પાદ્દન ફકત જમ્મુ-કશ્મીરના કેટલાક વિસ્તારોમાં થાય છે. કેસર શરીરની નબળાઈને દૂર કરે છે. કેસરથી નવજાત બાળકથી લઈને વૃદ્ઘ દરેકને આરોગ્ય વિષયક ફાયદો થાય છે.

થોડી મૂલેઠીનો બારીક ભૂક્કો દૂધમાં ભેળવો અને હવે તેમાં થોડું કેસર નાખીને મિશ્રણની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને સૂતા સમયે માથા પર લગાવો. જેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થશે અને ટાલ પડવાના કિસ્સામાં ફાયદો થશે. રાતે સૂતા પહેલા દૂધમાં કેસર નાખીને પીવો અનિદ્રા અને હતાશાને દૂર કરશે. કેસરમાં ક્રોસિનની માત્રા ભરપૂર હોય છે. જે તાવને દૂર કરવામાં મદદરુપ થાય છે. આ ઉપરાંત કેસરના સેવનથી મળતું ક્રોસિન તમારી એકાગ્રતા અને યાદશકિત વધારવામાં મદદરુપ થશે. જો માથાનો દુખાવો હોય તો કપાળ પર ચંદન અને કેસનું મિશ્રણ લગાવો માથાના દુખાવામાં રાહત મળશે.

વૈજ્ઞાનિકોને એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે કેસરનું સેવન આંખોને તંદુરસ્ત રાખે છે. ઉપરાંત મોતિયાની બીમારીમાં પણ તે કારગર સાબિત થાય છે. કેસરને ચંદન સાથે ભેળવીને કપાળ અને આંખો પર લગાવવાથી આંખ અને મગજને ઠંડક મળે છે. તેમજ કેસરના ઉપયોગથી તમારું મગજ પણ પાવરફૂલ બને છે.

નવજાત બાળકોને થતા સરદી-ઉધરસ જેવી બીમારીમાં અકસીર ઉપાય તરીકે કામ આવે છે. આ માટે માતાના દૂધમાં કેસરને ભેળવીને તેના નાક અને માથા પર દ્યસવામાં આવે તો ખૂબ ફાયદો મળે છે. કેસર, જાયફળ અને લવિંગનો લેપ નવજાત બાળકની છાતી અને પીઠ પર લગાવવાથી શરદી અને કફ ભરાવાના સંજોગોમાં રાહત મળશે.

(3:28 pm IST)