Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

નાઇજીરિયામાં આંતકવાદીઓના હુમલામાં 14 મોતને ભેટ્યા

નવી દિલ્હી: નાઈજિરીયાના રિવર્સ સ્ટેટમાં બંદૂકધારીઓએ ગોળીબારી કરતા ઓછામાં ઓછા 14 લોકો મોતને ભેટ્યા છે આ લોકો ચર્ચમાં અડધી રાતે પ્રાર્થના કરીને પરત ફરી રહ્યા હતા.બંદૂકધારીઓએ સોમવાર રાતે સાડા બાર વાગ્યે હુમલો કર્યો હતો.ગોળીબારીની આ ઘટના પોર્ટ હરકોર્ટથી અંદાજે 90 કિલોમીટરની દુરી પર ઓમાકુમાં થયો હતો.ઘટનાસ્થળ પર 14 લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 12 લોકો ઘાયલ થયા છે.

(7:34 pm IST)