News of Saturday, 31st October 2020
અમદાવાદ:દિલ્હીના વેપારીને મોટી ચલણી નોટો આપવાનું કહી ત્રણ ગઠિયાએ 8લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ
અમદાવાદ: દિલ્હીના વેપારીને ત્રણ ગઠિયાઓએ નાની ચલણી નોટોના બદલામાં મોટી ચલણી નોટો આપવાથી 10 ટકા કમિશન આપવાની લાલચ આપી હતી. આથી દિલ્હીથી આવેલા વેપારીને આ શખ્સો કારમાં સરખેજ લઈ ગયા હતા અને 16 લાખ કારમાં રખાવીને જમવા માટે હોટેલમાં ગયા હતા. બાદમાં આ શખ્સો નંબરપ્લેટ વગરની કાર લઈને ફરાર થઈ ગયા હતા. જેને પગલે વેપારીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત મુજબ દિલ્હીમાં રહેતા સતીષકુમાર ડી.ગર્ગ(56) દિલ્હીમાં દુકાન ધરાવે છે. તેમના નજીકના વિસ્તારમાં ફ્રૂટની દુકાન ધરાવતા અશોક આર.તનેજાએ તેમની ઓળખ દિલ્હીના જ ઈમરાનખાન એચ.પઠાણ સાથે કરાવી હતી. ઈમરાનખાને તેના અમદાવાદના એળખીતા સુરેશ નાનજી મોતાની ઓળખ કરાવી હતી.
(4:48 pm IST)