ગુજરાત
News of Saturday, 31st October 2020

અમદાવાદ:દિલ્હીના વેપારીને મોટી ચલણી નોટો આપવાનું કહી ત્રણ ગઠિયાએ 8લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: દિલ્હીના વેપારીને ત્રણ ગઠિયાઓએ નાની ચલણી નોટોના બદલામાં મોટી ચલણી નોટો આપવાથી 10 ટકા કમિશન આપવાની લાલચ આપી હતી. આથી દિલ્હીથી આવેલા વેપારીને શખ્સો કારમાં સરખેજ લઈ ગયા હતા અને 16 લાખ કારમાં રખાવીને જમવા માટે હોટેલમાં ગયા હતા. બાદમાં શખ્સો નંબરપ્લેટ વગરની કાર લઈને ફરાર થઈ ગયા હતા. જેને પગલે વેપારીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ દિલ્હીમાં રહેતા સતીષકુમાર ડી.ગર્ગ(56) દિલ્હીમાં દુકાન ધરાવે છે. તેમના નજીકના વિસ્તારમાં ફ્રૂટની દુકાન ધરાવતા અશોક આર.તનેજાએ તેમની ઓળખ દિલ્હીના ઈમરાનખાન એચ.પઠાણ સાથે કરાવી હતી. ઈમરાનખાને તેના અમદાવાદના એળખીતા સુરેશ નાનજી મોતાની ઓળખ કરાવી હતી.

(4:48 pm IST)