ગુજરાત
News of Saturday, 31st October 2020

સામજિક સમરસતા ગતિવિધિ દ્વારા બાવળામા મહર્ષિ શ્રી વાલ્મીકિજીની જન્મજયંતીની ઉજવણી કરાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામજિક સમરસતા ગતિવિધિ દ્વારા બાવળામા  સનાતનધર્મના પવિત્ર અને માર્ગદર્શક ધર્મગ્રંથ શ્રી રામાયણના રચયિતા  મહર્ષિ શ્રી વાલ્મીકિજીની જન્મજયંતીની ઉજવણી શ્રી અંબાજી મંદિરના પરિસરમાં કરવામાં આવી હતી.  દીપ પ્રાગટ્ય કરી મહર્ષિ વાલ્મીકિજીનુ પુજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ -ધંધુકા જિલ્લાના મા.જિલ્લા સંઘચાલક શ્રી જીવણભાઈ ગોહેલ ઉપસ્થિત રહ્યા અને પ્રાસંગિક વાત  સુરેન્દ્રનગર વિભાગના વિભાગ પ્રચારક શ્રી કેશવભાઈ આણેરાવે પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમને સફળ કરવા માટે અંબાજી મંદિરના પુજારી શ્રી કમલેશભાઈએ સહયોગ આપ્યો હતો. બાવળા નગરના ભાઈઓ-બહેનો આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.

(9:15 am IST)