ગુજરાત
News of Thursday, 30th June 2022

અમદાવાદમાં વકરતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 547 નવા કેસ નોંધાયા:વધુ 419 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,18.042 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 70.872 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3042 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 547 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 419 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.18.042 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.86 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 70.872  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,14.32.849 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3042 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે,અને 3037 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 547 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 222, સુરત કોર્પોરેશન 82, વડોદરા કોર્પોરેશન 46, વલસાડમાં 22 કેસ, મહેસાણા અને નવસારીમાં 18-18 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ, ભરૂચ, કચ્છ અને રાજકોટ કોર્પોરેશનમાં 15-15 કેસ, જામનગર કોકોર્પોરેશનમાં 13 કેસ, સુરતમાં 11 કેસ, આણંદમાં 10 કેસ,ભાવનગર કોર્પોરેશનમાં 7 કેસ, ગાંધીનગરમાં 6 કેસ,અમદાવાદ, મોરબી અને પાટણમાં 5-5 કેસ, રાજકોટમાં 4 કેસ, વડોદરામાં 3 કેસ, બનાસકાંઠા, ભાવનગર,અને જામનગરમાં 2 -2 કેસ, બોટાદ,ખેડા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:31 pm IST)