બ્લડ ક્લોટિંગથી કોરોનાના દર્દીમાં સ્ટ્રોકનું જોખમ વધારે
બ્લડ ક્લોટિંગમાં પણ ૧૦ ટકા વધારો થયો : સ્ટ્રોકને શરૂઆતમાં ઓળખીને દર્દીને તાત્કાલિક સારવાર આપવાની વ્યવસ્થા કરીએ તો પરેશાનીથી બચાવી શકાય
અમદાવાદ,તા.૨૯ : શહેરના એક ૪૫ વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હોમ આઈસોલેશનમાં હતા ત્યારે તેમના શરીરનો એક બાજુનો ભાગ ખોટો પડી ગયો હોય તેવું થવા માંડ્યુ અને બોલવામાં પણ તકલીફ પડવા લાગી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમને સ્ટ્રોક આવ્યો હોવાનું નિદાન થયું હતું. આ સ્ટ્રોક કોરોના વાયરસની અસર હતી. સમયસર આ સ્થિતિ પારખી જતાં અને સારવાર મળવાના કારણે પેરાલિસિસ જેવી લાંબાગાળાની તકલીફમાંથી તેમને બચાવી શકાયા. કોરોના વાયરસના કારણે સ્ટ્રોકનું જોખમ વધ્યું છે સાથે જ બ્લડ ક્લોટિંગ (લોહીના ગઠ્ઠા થવા)માં પણ ૧૦ ટકા વધારો થયો છે. માટે જ કોરોના વાયરસના દર્દીઓને સાજા થયા પછી બ્લડ થિનર આપવામાં આવે છે,' તેમ શહેરના ઈન્ટરવેન્શનલ ન્યૂરોલોજિસ્ટ અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ ડૉ. મુકેશ શર્માએ કહ્યું. શહેરની એક હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના હેડ ડૉ. અરવિંદ શર્માએ કહ્યું, 'પેરાલિસિસ થતાં ૭૩ વર્ષીય દર્દીને હોસ્પિટલ લવાયા હતા. તેમને સારવાર શરૂ કરી ત્યારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ હત
તેમના પરિવારજનોને ચિંતા હતી કે, તેમની ઉંમરના કારણે તેમને ક્રિટિકલ કેરની જરૂર પડશે. જો કે, તેઓ થોડા જ દિવસમાં સાજા થઈ ગયા હતા. આજે (૨૯ ઓક્ટોબર)ના દિવસે વર્લ્ડ સ્ટ્રોક ડે છે ત્યારે શહેરના નિષ્ણાતોએ ગયા વર્ષના સેલિબ્રેશનની થીમને યાદ કરી હતી. સ્ટ્રોકને સમજવાનો અને તેના લક્ષણો ઓળખવાનો રસ્તો છે. તેમણે કહ્યું બી- બેલેન્સ (સંતુલન જાળવવામાં મુશ્કેલી), ઈ- આંખ (અચાનક જ એક કે બંને આંખમાં દેખાવાનું બંધ થઈ જાય છે.