આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા જાણીતા લોકગાયક વિજય સુવાનું સુચક નિવેદનઃ પાર્ટી ટિકીટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ
લોકો ભાજપના વિકાસ કાર્યો અને મારી ચાહના મતમાં કન્વર્ટ કરશે તેવુ જીત માટેનું સમીકરણ જાહેર કર્યુ
અમદાવાદઃ જાણીતા લોક ગાયક અને ભુવાજી તરીકે ઓળખાતા વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટીમાં હતા. બાદમાં ભાજપમાં જોડાઇ એવુ નિવેદન કર્યુ કે, પાર્ટી ટિકીટ આપશે તો હું જરૂર ચૂંટણી લડીશ. તેમણે વધુમાં ઉમેર્યુ કે, લોકો ભાજપને પ્રેમ કરે છે, તેમનું સંગઠન અને લોકોની મારા પ્રત્યેનો પ્રેમ જીતમાં પરિણમશે.
ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટીઓના નેતાઓ હવે ચૂંટણીની ટિકીટ માટે માંગણીઓ કરી રહ્યા છે. અનેક નેતાઓ મેદાને જંગ માટે ઉતરી ચૂક્યા છે. ત્યારે અનેક નેતાઓએ પોતાના મતવિસ્તારમાં લોકસંપર્ક પણ કરવા મંડ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી માંથી ભાજપમાં આવેલા વિજય સુવાળાએ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ ભાજપનો વિકાસ અને મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે.
મારી ચાહના મતમાં કન્વર્ટ થશે
ભુવાજી તરીકે જાણીતા લોક ગાયક વિજય સુવાળાએ જણાવ્યું હતું કે, પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી ચૂંટણી લડીશ. લોકો ભાજપને પ્રેમ કરે છે, તેમનું સંગઠન અને લોકોની ચાહના અને મારા પ્રત્યેનો પ્રેમ અને વિકાસના કર્યો જોઈને લોકો મત આપવાના છે. સાથે મારી ચાહના આ બંને પાસા મળશે અને લોકો મારી ચાહના મતમાં કન્વર્ટ કરી આપશે.
તમને જણાવી દઈએ કે, વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોક ગાયક વિજય સુવાળા પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને જીત માટેનું સમીકરણ પણ જાહેર કર્યું છે.