ગુજરાત
News of Saturday, 28th November 2020

રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના 2 ડોક્ટરો ને જ કોરોના વળગતા સ્ટાફ અને દર્દીઓમા ચિંતાનું મોજું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલ સ્ટાફમાં પણ કોરોનાના કેસ નિકળતા બાકી સ્ટાફ અને ત્યાં સારવાર અર્થે આવતા દર્દીઓમાં ચિંતા ફેલાઈ છે.જેમાં નર્મદા જિલ્લામાં10 કોરોના ના કેસ જોવા મળ્યા હતા તે પૈકી 2 રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટર છે.

 ગુરુવારે 10 કોરોના પોજેટિવ કેસ માં 05 કેસ રાજપીપળા શહેરના છે અને એમાં પણ 02 કેસ રાજપીપળા સિવિલ સ્ટાફના ડોકટરો હોવાથી હવે હોસ્પિટલમાં પણ આ બાબતે સલામતી નથી એમ લાગી રહ્યું છે.કેમકે સરકારી હોસ્પિટલમાં માં સારવાર અર્થે જતા દર્દીઓ ભારે ભીડ વચ્ચે લાઈનમાં ઉભા રહી પોતાની સારવાર માટે જતા હોય તેવી સ્થિતિ માં જો કોઈ કોરોના ગ્રસ્ત હોય તો સાજા થવા ગયેલા દર્દીની હાલત પણ વધુ ખરાબ થઈ શકે છે માટે હવે કોરોના સિવાય ની સારવાર પણ ક્યાં કરાવવી એ બાબતે દર્દીઓ મૂંઝવણ માં મુકાયા છે.

(11:32 pm IST)