ગુજરાત
News of Tuesday, 28th June 2022

સુરતમાં આમ આદમી પાર્ટીનાં નેતા પર થઈ રહેલા હુમલાઓને લઈ વલસાડ આપ મેદાને આવ્યુ : પોલીસ અધિક્ષકને આવેદન પાઠવવામાં આવ્યુ

ભાજપનાં ગુડાઓ અને અસામાજીક તત્વો દ્વારા આપનાં કોર્પોરેટરો અને પદાધીકારીઓને માર મારવામાં આવી રહ્રયો હોવાનાઆવ્યો આરોપ લગાવ્યા

વલસાડ તા.૨૮ : સુરતમાં છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટીનાં નેતાઓ અને પદાધીકારીઓ પર હિ ચકારી હુમલા થઈ રહ્યા છે. જેને લઈ વલસાડ આપ દ્વારા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ભાજપનાં ગુન્ડાઓ અને અસામાજીક તત્વો દ્વારા આપનાં કોર્પોરેટર તેમજ પદાધીકારીઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જેને લઈ પોલીસ નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે. અને જો આવુ નહિ  થાય તો લોકોનો પોલીસ પરથી વિ શ્વાસ ઉઠી જશે.

(10:30 pm IST)