ગુજરાત
News of Tuesday, 28th June 2022

ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિની સામે જિલ્લા કોંગ્રેસનાં રાજપીપળા ગાંધીચોક પર ધરણાં યોજાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભાજપ સરકારની પ્રજાવિરોધી નીતિની ના લીધે પ્રજા મોંઘવારી બેરોજગારી વીજળીની સમસ્યા જેવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે અને બીજી બાજુ નવ યુવાનો માટે સરકાર દ્વારા જે અગ્નિપથ યોજના જાહેર કરી છે જેમાં પરંપરાગત પદ્ધતિ તથા નિયમોને બાજુ પર મૂકી દેશના સૈનિકોના મનોબળને નબળું બનાવવાનું કાર્ય કર્યું છે જેથી નવયુવાનો લશ્કરમાં જોડાવા ઈચ્છતા હોય તેઓ સખત વિરોધ કરી રહ્યા છે જેથી કોંગ્રેસ દ્વારા પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે  રાજપીપળા ગાંધીચોક પર અહિંસારૂપી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય પી.ડી. વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર ભાઈ વાળંદ, માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન કાદરી ઈમ્તિયાઝઅલી સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

(10:25 pm IST)