રાજપીપળાથી નાવરા જતી ST બસ એક વર્ષથી બંધ હોવાથી AAP દ્વારા ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરાઈ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં જતી રાજપીપળા એસટી ડેપોની બસો બાબતે અવાર નવાર બુમ સંભળાઈ છે જેમાં નાદોદ તાલુકાના નાવરા રૂટની એક વર્ષથી બંધ થયેલી બસ ચાલુ કરવા એસટી ડેપો મેંજરને ગ્રામજનો અને આમ આદમી પાર્ટી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી
રજૂઆતમાં જણાવ્યા મુજબ નાવરા ગામ તેમજ આજુ બાજુના ઘણા ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અને અન્ય લોકો ખરીદી સહિતના કામ અર્થે રાજપીપળા આવતા જતા હોય છે પરંતુ છેલ્લા એકાદ વર્ષથી રાજપીપળા ડેપોમાથી નાવરા ગામની બસ બંધ કરવામાં આવી હતી જેના કારણે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ નો અભાયા બગડે છે અને અન્ય કામ અર્થે આવતા લોકો પણ બસ વિના તકલીફમાં મુકાઈ રહ્યા છે માટે આ રૂટની બસ નિયમિત ચાલુ કરવા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.
જોકે ડેપો સત્તધિશો દ્વારા જાણવા મળ્યા મૂજબ આજે રજૂઆત આવ્યા બાદ અમે નાવરા ગામની બસ ચાલુ કરી છે.