ગુજરાત
News of Tuesday, 28th June 2022

અમદાવાદમાં વકરતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 475 નવા કેસ નોંધાયા:વધુ 248 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,17.215 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 52,721 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 2793 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 475 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 248 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.17.215 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.90 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 52,721  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,13,02,759 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 2793 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં રકપણ દર્દી વેન્ટિલેટર પર નથી,અને 2793 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 475 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 211, સુરત કોર્પોરેશન 76, વડોદરા કોર્પોરેશન 35, જામનગર કોર્પોરેશન 17, મહેસાણા 14, નવસારી 12, વડોદરા 12, અમરેલી 10, ગાાંધીનગર કોર્પોરેશન 9, કચ્છ 8, ભરૂચ 7, ગાાંધીનગર 7, વલસાડ 7, અમદાવાદ 5, જામનગર 5, રાજકોટ કોર્પોરેશન 5, બનાસકાાંઠા 4, દેવભૂમિ દ્વારકા 4, ખેડા 4, આણાંદ 3, ભાવનગર કોર્પોરેશન 3, પાટણ 3, રાજકોટ 3, સુરત 3, ગીર સોમનાથ 2, મહીસાગર 2, સાબરકાાંઠા 2, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 01-01 કેસ નોંધાયા છે.

(8:15 pm IST)