ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા આજે નવા 301 કેસ રાજ્યમાં નોંધાયા : છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 114 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં એક્ટિવ કેસ વધીને ૧૮૪૯ થયા : રાજ્યના શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા માટે અહી ક્લિક કરો
અમદાવાદ : આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા આજે નવા 301 કેસ રાજ્યમાં નોંધાયા છે, જ્યારે આજે વધુ ૧૪૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૬૭,૮૬૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોના થકી રાજયમાં કોઈ મૃત્યુ નથી નોંધાયું. રાજયમાં કોરોના થકી કુલ મૃત્યુઆંક 11,053 થયો છે અને રાજ્યમાં કોરોનાનો રિકવરી દર ૯૮.૯૯ છે.
રાજયમાં કોરોના રસીકરણ અભિયાન થકી આજે વધુ ૬૬૪ લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૧૨,૮૦,૯૯,૭૬૧ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ ૧૮૪૯ એક્ટિવ કેસ છે, જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે જયારે ૧૮૪૧ દર્દીઓ સ્ટેબલ હાલતમાં છે.
રાજ્યના શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર આંકળાકીય સૂચિ નીચેના કોષ્ઠક માં દર્શાવામાં આવેલી છે...