હિંમતનગર તાલુકાના ગાભોઇ નજીક બળદગાડીની હડફેટે તૂટેલ જીવંત વીજ તાર આવી જતા બળદનુ ઘટનાસ્થળેજ મોત:ખેડુત ઈજાગ્રસ્ત
હિંમતનગર:તાલુકાના ગાંભોઇ પાસેના નાદરી ગામે બળદગાડાની અડફેટે વિદ્યુતનો તૂટેલ જીવંત તાર આવી જતા બળદનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું જ્યારે ઘાયલ ગાડા ખેડુને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
હિંમતનગરના નાદરી ગામની સીમામાંથી પસાર થતી વીજ લાઈનો જીવંત તાર તા. ૨૫મી જુલાઇના રોજ તૂટી ગયાની જાણ જીઇબી વિભાગને કરેલ હોવા છતાં તંત્ર જાણે કે કોઈ દુર્ઘટના ની રાહ જોતું હોય તેમ આ બાબતે આંખ આડા કાન કરતા,જેનો ભોગ અહીંથી ગાડુ લઇ પસાર થઈ રહેલા રમણભાઈ ભુરાભાઈ ચમાર ઉંમર વર્ષ ૪૮ બન્યો હતો. તૂટેલ જીવંત તાર ગાડાની અડફેટે આવી જતાં વીજ કરંટથી બળદનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે રમણભાઈ દૂર ફેંકાઈ જતા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા અંગેની નોંધ ગાંભોઈ પોલીસ મથકે થઈ હતી.