ગુજરાત
News of Thursday, 26th November 2020

945 દીવડાની દીપમાળા બનાવી શ્રી શક્તિ માઁ ના જન્મ દિવસની ઉજવણી કરાઇ

વિરમગામ તાલુકાના મહાદેવપુરા ગામમાં દીવડાની દીપમાળા બનાવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : દેવઉઠી એકાદશી કે જે ઝાલા રાજવંશના જન્મદાત્રી એવા શ્રી શક્તિ માઁ નો 945 મો જન્મદિવસ છે. તે નિમિત્તે વિરમગામ તાલુકાના મહાદેવપુરા ગામમાં 945 દીવડાની દિપમાળા બનાવી માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામા આવી હતી અને શ્રી શક્તિ માઁ ની આરાધના કરવામાં આવી હતી. દીવડાની દીપમાળાથી નયન રમ્ય દ્રશ્યનુ સર્જન થયું હતું.  તેમ મહાદેવપુરાના શક્તિસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
 

(9:14 pm IST)