નર્મદા જિલ્લામાં બુધવારે 4 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1491 પર પહોંચ્યો.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામા બુધવારે 4 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા જેમાં નાંદોદ તાલુકાના તરોપા-1,નવાપરા નિકોલી-1, ગરુડેશ્વરના કેવડીયા ટેન્ટ સીટી- 1,જ્યારે તિલકવાડા- 1 મળી જિલ્લામાં કુલ 04 દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દીની કુલ સંખ્યા-૩ છે,16 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 24 દર્દી દાખલ છે.હોમ આઇસોલેશનમાં 42 દર્દી દાખલ છે. આજરોજ 6 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી જિલ્લામાં કુલ 1399 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1491 પર પહોચ્યો છે. આજે વધુ 488 સેમ્પલ ચકાસણી હેઠળ છે