વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં ઢોર માટે ઘાસ ચોરવા ગયેલ ભરવાડને ઝડપી પોલીસ હવાલે કર્યો
વડોદરા:દંતેશ્વર ઓપન જેલમાં ઢોર માટે ઘાસ ચોરવા ગયેલા ભરવાડોનો પીછો કરીને પોલીસે ત્રણ પૈકી બે ભરવાડોને ઝડપી પાડયા હતા.જ્યારે ભાગી ગયેલા બે ભરવાડોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,દંતેશ્વર ઓપન જેલમાં ગત તા.૨૩ મી એ મોડીરાતે સાડા દશ વાગ્યે ત્રણ ભરવાડો જેલ અધિકારીની પરવાનગી સિવાય જેલની દીવાલ કૂદીને ગયા હતા.અને જેલમાં કાપેલા ઘાસની ચોરી કરી નાસવાની કોશિશ કરતા હતા.જેલ સ્ટાફે પીછો કરીને ત્રણ પૈકી એક અજય કાળુભાઇ ભરવાડ (રહે.સંતોષી માતાના મંદિર પાસે, ભરવાડ વાસ, દંતેશ્વર)ને ઝડપી પાડયો હતો.જ્યારે અન્ય બે ભરવાડો ભાગી ગયા હતા.જે અંગે જેલ સિપાઇ મહેશ તાજસિંહ ડામોરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ.જે.કે.શ્રીમાળીએ ગુનો દાખલ કરી અજયની ધરપકડ કરી હતી.જ્યારે ભાગી છૂટેલા અન્ય બે ભરવાડોની શોધખોળ હાથ ધરી છે.