ગુજરાત
News of Wednesday, 25th May 2022

આલમપુરા પાસે હાઈવે રોડ પર મોટરસાયકલ રેલીંગ સાથે ભટકાતા બે યુવાનોના મોત : એક ઘાયલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના આલમપુરા પાસે હાઈવે રોડ પર ત્રણ સવારી જતા યુવાનોની મોટરસાયકલ રેલીંગ સાથે ભટકાતા બે યુવાનોનું મોત નિપજ્યું છે, જ્યારે એક ને ઇજા થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અજીતભાઈ કનુભાઈ વલવી (રહે મોટા રાયપુરા સાગરી ફળિયુ તાલુકો નાદોદ જીલ્લો નર્મદા )નાઓની ફરિયાદ અનુસાર તારીખ ૨૩/૦૫/૨૨ ના રોજ પાચ વાગ્યે આ કામના આરોપી હરેશભાઈ દશરથભાઈ વસાવા( રહે જીતગઢ તાલુકો નાદોદ જિલ્લો નર્મદા) પોતાની મોટરસાયકલ ઉપર ત્રણ સવારી બેસાડી મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોજે આલમપુરા ગામ પાસે વળાંકમાં રોડની સાઈડમાં આવેલ રેલિંગ સાથે મોટરસાયકલ અથાડી પોતાને શરીરે ઓછી વત્તી ઇજાઓ કરી તથા મોટર સાયકલ પાછળ બેઠેલ જયદીપભાઇ શનુભાઈ વલવી( રહે મોટા રાયપુરા તાલુકો નાદોદ જીલ્લો નર્મદા) નાઓને માથાના ઉપરના ભાગની ખોપડી તોડી નાખી મોત નીપજાવી તથા મોટર સાયકલ પાછળ બેઠેલ પરેશભાઈ મહેન્દ્રભાઈ ભીલ( રહે વાવીયાલા તાલુકો ગરૂડેશ્વર જીલ્લો નર્મદા હાલ રહે મોટા રાયપુરા તાલુકો નાદોદ) નાઓને મોઢાના ભાગે તથા હાથે-પગે ઓછી વત્તી ઇજાઓ કરી સારવાર દરમિયાન મોત નીપજાવી ગુનો કરેલ તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:06 pm IST)