ગુજરાત
News of Tuesday, 24th November 2020

રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતાના શપથ લેવડાવતાં રાજ્યપાલ

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે રાજભવનના અધિકારીઓ અને કર્મચારીખોને રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદભાવ પ્રતિષ્ઠાન, નવી દિલ્હીના ઉપક્રમે પ્રતિવર્ષ કમી સદભાવ અને રાષ્ટ્રીય ઐકતા અને અખંડિતતાની ભાવનાને સુદઢ બનાવવાના ઉદ્દેશથી 19મી નવેમ્બર થી 25 નવેમ્બર સુધી સાંપ્રદાયિક સદભાવ અભિયાન સપ્તાહ દેશભરમાં મનાવવામાં આવે છે, તેના ભાગરૂપે રાજ્યમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેછે 

(8:20 pm IST)