નર્મદા જિલ્લામાં સોમવારે 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1464 પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામા સોમવારે 23 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે જેમાં રાજપીપળા દોલત બજાર -05,જલારામ સોસાયટી-01, પાયગા પોલીસ લાઈન-01,ગુજરાત હાઉસિંગ બોર્ડ-01, રાજપીપળા-01,નાંદોદ તાલુકાના વડિયામાં-02, નવાગામ -01,ગરુડેશ્વર ના કેવડીયા-07,ગરુડેશ્વર-01, તિલકવાડા માં-03 મળી જિલ્લામાં કુલ 23 દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે 12 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 16 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 40 દર્દી દાખલ છે.આજરોજ 09 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1386 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1464 પર પહોચ્યો છે.આજે વધુ 1209 સેમ્પલ ચકાસણી હેઠળ