ગુજરાત
News of Tuesday, 24th May 2022

વનવિભાગ પર ટોળાએ પથ્થરમારો કર્યો :ગરુડેશ્વરના ભીલવસી બારફળિયામાં ઘટના

ગેરકાયદે જમીન ખેડતા કેવડિયા વન વિભાગે લોકોને અટકાવ્યા હતા

રાજપીપળા :વનવિભાગ પર ટોળાએ પથ્થરમારો કર્યો છે. ગરુડેશ્વર તાલુકાના ભીલવસી બારફળિયામાં ઘટના બની હતી. જંગલની જમીન ખેડતા લોકોને રોકતા પથ્થરમારો કર્યો હતો. ગેરકાયદે જમીન ખેડતા કેવડિયા વન વિભાગે લોકોને અટકાવ્યા હતા. આ લોકોને અટકાવાનો પ્રયાસ કરતા વન વિભાગના કર્મચારીઓ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો.

 મહત્વનું છે કે, કેવડિયા રેન્જના RFO વિરેન્દ્રસિંહ ઘરિયા અને તેમની ટીમ ત્યાં પહોંચી ત્યારે આ ઘટના બની હતી. મહત્વનું છે કે, ટોળાએ કરેલા હુમલામાં બે વન વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા હતા. વનવિભાગના બંને કર્મચારીઓને ગરુડેશ્વર સામુહિક કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.

(8:54 pm IST)