રાષ્ટ્રપતિને મળવા બાબતે ડેડીયાપાડા ધારાસભ્યની નર્મદા કલેક્ટરને લેખિત રજુઆત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી 25 તારીખે મહામાહિમ રાષ્ટ્રપતિને પ્રતિનધિઓ સાથે મળવા બાબતે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ સી.વસાવાએ નર્મદા કલેક્ટરને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે અમારા આદિવાસી વિસ્તારને લગતા કેટલાક મુદ્દાઓ બાબતે અમારે ભારતના રાષ્ટ્રપતિને મળવું છે માટે તેમને મળવાનો સમય નક્કી કરી જાણ કરશો.
ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવા માટે આપેલા મુદ્દાઓમાં.૧, ભાષા આધારિત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર નાં અનુસુચિત ક્ષેત્રને ભીલીસ્તાન(ભીલપ્રદેશ) અલગ રાજની માંગ,૨,અનુસૂચી-પ ની અમલવારી,3. કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન અધિનિયમને (કાયદાને રદ કરવા બાબતે)૪.આદિવસી ક્ષેત્રોમાં નહેરો દ્વારા ખેતીની જમીન સિંચાઈ પૂરી પાડવા બાબતે રજુઆત કરવા લેખિત જાણ કરી છે.