નર્મદા જિલ્લામાં શનિવારે 12 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1433 પર પહોંચ્યો.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેમાં શનિવારે 12 કોરોના પોઝિટિવ કેસો જોવા મળ્યા છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે 12 કોરોના પોઝિટિવ કેસ મળ્યા જેમાં રાજપીપળા- 01, વડિયા પેલેસ-03, ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની-01,તિલકવાડા તાલુકાના વોરામાં-01 જ્યારે સાગબારા તાલુકાના મકરાણ-02,ઉમરાણ-01, સોરાપાડા- 01 ,રણબુડા-01 અને સાગબારા ખાતે-01 મળી નર્મદા જિલ્લામાં કુલ.12 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે 07 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 19 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 26 દર્દી દાખલ છે.આજરોજ 03 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1373 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1433 એ પહોચ્યો છે. વધુ 645 સેમ્પલ ચકાસણી હેઠળ છે.