News of Thursday, 22nd February 2018
રાજ્યમાં દલિતોને મંદિરોમાં પ્રવેશ નહિ અપાયાની 13 ફરિયાદો નોંધાઈ
ગાંધીનગર :સરકારનાં આંકડાઓ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં દલિતોને મંદિરમાં પ્રવેશ ન અપાયો હોવાની 13 ફરિયાદો નોધાઈ છે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કબુલાત કરી હતી કે રાજ્યનાં 13 ગામોમાં મંદિરમાં દલિતોને પ્રવેશ આપવામાં આવતો નથી.
આ અંગે લેખિત જવાબમાં જણાવ્યુ હતુ કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં અનુસુચિત જાતિનાં લોકોને મંદિરમાં પ્રવેશ ન આપવાની 13 ફરિયાદો નોધાઈ હતી.જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 1, આણંદમાં 2, ભરૂચમાં 3, મહિસાગરમાં 1, સુરેન્દ્રનગરમાં 1 ,ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 2 અને બનાસકાંઠામાં 1 કેસનો સમાવેશ થાય છે.
(9:10 am IST)