News of Wednesday, 21st February 2018
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજીપી પી,પી,પાંડે કેસમાંથી મુક્ત: ડિસ્ચાર્જ અરજી મંજુર
ફોટો પીપી પાંડે
અમદાવાદ :ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજીપી પી.પી. પાંડે આ કેસમાંથી મુક્ત થયા છે પી,પી,પાંડેએ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી.તેમણે કરેલી ડિસ્ચાર્જ અરજી સીબીઆઈ કોર્ટે મંજુર કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જુન-2004માં ઇશરત જહાં સહિત ચાર વ્યકિતઓ કોતરપુર વોટર વર્કસ પાસે એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. ગુજરાત પોલીસે આ ચારેય મૃતકો લશ્કર-એ-તૌઈબાના આંતકવાદીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મારવા આવ્યા હોવાનો દાવો કર્યો હતો.આ એન્કાઉન્ટર ફેક હોવાનું કહીને પી.પી.પાંડેને પણ તેમાં આરોપી બનાવાયા હતા આ એન્કાઉન્ટર કેસમાં પાંડે 18 માસનો જેલવાસ ભોગવી ચૂક્યા છે.
(11:38 pm IST)