ગુજરાત
News of Wednesday, 21st February 2018

વડોદરાના સુરસાગર તળાવની વચ્ચે આવેલી દુકાન તોડી પડાઈ :મોડીરાત્રે કાર્યવાહી

શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવનું બ્યુટિફિકેશન કાર્ય હાથ ધરાયું

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવનું બ્યુટિફિકેશન કાર્ય હાથ ધરાયું છે. બ્યુટિફિકેશનની કામગીરી હેતુ તળાવની વચ્ચે આવેલી કાપડની દુકાન મંગળવારે મોડી રાત્રે ખાલી કરાવાઇ હતી. બાદમાં જેસીબી મારફતે તેને તોડી પાડવામાં આવી હતી. વેળા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.હાલ સુરસાગર તળાવમાંથી મોટાભાગનું પાણી ખાલી કરી કિનારાની અંદર તરફ કામગીરી ચાલુ કરી દેવાઇ છે.

(1:02 pm IST)