રાજપીપળા નજીક માંગરોળ ખાતે આવેલી નર્મદા બી એડ કોલેજ નું 100 ટકા પરિણામ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા નજીક નર્મદા કિનારે આવેલ નર્મદા બી એડ કોલેજ ના સેમિસ્ટર -4 નું 100 ટકા પરિણામ આવતા કોલેજ સંકુલ અને ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળની નર્મદા કોલેજમાં બી એડ નું 100 ટકા પરિણામ આવ્યું છે જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ડિસ્ટીંકશન માર્ક મેળવ્યા હોય જેમાં આદિવાસી સમાજનું ગૌરવ વધારનાર કોલેજની છાત્રા સ્નેહલબેન આર વસાવાએ 92 ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, અંજનાબેન જે વસાવા તથા અનસુયાબેન વસાવાએ 90 ટકા સાથે બીજો ક્રમાંક અને વર્ષાબેન એન વસાવાએ 89 ટકા સાથે તૃતિય ક્રમાંક મેળવ્યો છે. કોલેજના મંત્રી મહેશભાઈ પટેલ અને પ્રિન્સિપાલ ડો દિલીપભાઈ પટેલે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા વિદ્યાર્થીઓએ પણ કોલેજ ના સંસ્કાર સાથે ભવિષ્યમાં શિક્ષકની નોકરીમાં જોડાઈશું તેમ ખાતરી આપી હતી