ગુજરાત
News of Saturday, 21st August 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી

વરિષ્ઠ અગ્રણી કલ્યાણસિંહના નિધનથી ભારતીય જનતા પાર્ટીએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણ સિંહ ના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ કલ્યાણ સિંહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સરકારે ઉત્તરપ્રદેશના વિકાસ માટે કરેલા કાર્યો ની સરાહના કરતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણસિંહ ના નિધન થી ભારતીય જનતા પાર્ટીએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સદગતના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે અને શોક સંતપ્ત પરિવાર જનોને સાંત્વના પાઠવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજયપાલ કલ્યાણ સિંહનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે.સંજય ગાંધી પીજીઆઈની ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં 4 જુલાઈએ તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી માંદગી અને શરીરના ઘણા ભાગોમાં ક્રમશ નિષ્ક્રિયતાને કારણે તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા.

(11:19 pm IST)