વડોદરા:રાજમહેલ રોડ પર દુકાન ધરાવતા મોબાઈલના વેપારીને બંધક બનાવી ગઠિયાએ સાત લાખની ખંડણીની માંગણી કરતા ગુનો દાખલ
વડોદરા : રાજમહેલ રોડ પર દુકાન ધરાવતા મોબાઇલ એસેસરિઝના વેપારીને વાતોમાં ભોળવી કરજણ દુકાન બતાવવાનું જણાવી આરોપીઓએ રસ્તામાં જ તેમનું અપહરણ કરીને સાત લાખ રૃપિયા આંગડિયા પેઢી મારફતે ટ્રાન્જેક્શન કરી પડાવી લેવાના ગુનામાં સામેલ ચાર આરોપીઓને નવાપુરા પોલીસે ઝડપી પાડયા છે.
ઘડિયાળી પોળ હરિહર રેસિડેન્સીમાં રહેતા દલારામ જીવાજી ચૌધરીની રાજમહેલ રોડ વ્રજસિદ્ધિ ટાવરમાં ન્યુ રાજેશ્વર નામની મોબાઇલ એસેસરિઝ નામની દુકાન છે.કરજણમાં નવી દુકાન ખોલવાની છે.તમે દુકાન જોવા ચાલો તેવુ કહીને વેપારીને વિશ્વાસમાં લઇ આરોપીઓ લઇ ગયા હતા.અને રસ્તામાં વેપારીને બંધક બનાવી સાત લાખ ખંડણી પેટે વસુલ કર્યા હતા.આ ગુનામાં સામેલ (૧) જીતુસીંગ પ્રતાપસીંગ રાવલ (રહે.ખોડિયાર નગર પાસે ) (૨)બિક્કી સુકુમાર ઘોષ (રહે.સાંઇબાબા મંદિરની સામે ,પાણીગેટ)(૩)વિનોદ ચંદ્રિકાપ્રસાદ ધરીકર (રહે.બાપુનગર,અમદાવાદ)(૪)બાબુ સુકુમાર ઘોષ (રહે.સન ક્લાસિક એપાર્ટમેન્ટ,વાઘોડિયા ડભોઇ રીંગરોડ)ને પકડી વધુ તપાસ હાથ ધરી છે.