વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજપીપળા GSL પબ્લિક સ્કૂલનાં વિદ્યાર્થીઓ,શિક્ષકો એ યોગ કર્યાં
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે, જે અન્વયે દર વર્ષે તા.૨૧ જુન, ૨૦૨૨ ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં આ સંદર્ભે ૨૧ મી જુનના દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ પાયે આયોજન કર્યું છે.
“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી નાં ભાગરૂપે રાજપીપળા GSL પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા જેમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ભાગ લીધો હતો