ગુજરાત
News of Saturday, 20th January 2018

પદ્માવત ફિલ્મનો ઉગ્ર વિરોધ ;મઉ નજીક બે એસટી બસમાં આગ લગાડાઇ ;ગાંધીનગરનાં બાલવા ચોકડી નજીક ST બસ સળગાવી;બે બસમાં તોડફોડ :મેઉ- ગોઝારિયા જોટાણા સહિતનાં રૂટ બંધ

 

 ગાંધીનગર ;રાજ્યમાં પદમાવત ફિલ્મનો ઉગ્ર  વિરોધ થઇ રહ્યો છે મઉ ગામ નજીક અજાણ્યા શખ્સોએ એસ.ટી. બસ સળગાવાઈ હતી. બસને ફિલ્મ પદ્માવતના વિરોધને લઈને સળગાવવામાં આવી હોવાનું જણાવાઈ રહયું છે પહેલા ગાંધીનગરનાં બાલવા ચોકડી નજીક ST બસ સળગાવી હતી. તેમજ અજાણ્યા શખ્સોએ 2 એસટી બસમાં તોડફોડ કરી હતીપદ્માવતના વિરોધમાં કુલ 5 બસને નુકસાન પહોંચાડ્યુ છે. બસ માણસા અને અંબાજી ડેપો વચ્ચે ચાલતી હતી.

ઘટનાની જાણ થતા લાંઘણજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.  ST તંત્રએ આગના બનાવ બાદ 4 જેટલા રૂટ બંધ કર્યા છે. જેમાં મેઉ - ગોઝારિયા, જોટાણા સહિતનાં રૂટ બંધ કરવામાં આવ્યા છે.

(9:55 pm IST)