News of Saturday, 20th January 2018
પદ્માવત ફિલ્મનો ઉગ્ર વિરોધ ;મઉ નજીક બે એસટી બસમાં આગ લગાડાઇ ;ગાંધીનગરનાં બાલવા ચોકડી નજીક ST બસ સળગાવી;બે બસમાં તોડફોડ :મેઉ- ગોઝારિયા જોટાણા સહિતનાં રૂટ બંધ
ગાંધીનગર ;રાજ્યમાં પદમાવત ફિલ્મનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે મઉ ગામ નજીક અજાણ્યા શખ્સોએ એસ.ટી. બસ સળગાવાઈ હતી. આ બસને ફિલ્મ પદ્માવતના વિરોધને લઈને સળગાવવામાં આવી હોવાનું જણાવાઈ રહયું છે આ પહેલા ગાંધીનગરનાં બાલવા ચોકડી નજીક ST બસ સળગાવી હતી. તેમજ અજાણ્યા શખ્સોએ 2 એસટી બસમાં તોડફોડ કરી હતી. પદ્માવતના વિરોધમાં કુલ 5 બસને નુકસાન પહોંચાડ્યુ છે.આ બસ માણસા અને અંબાજી ડેપો વચ્ચે ચાલતી હતી.
ઘટનાની જાણ થતા લાંઘણજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ST તંત્રએ આગના બનાવ બાદ 4 જેટલા રૂટ બંધ કર્યા છે. જેમાં મેઉ - ગોઝારિયા, જોટાણા સહિતનાં રૂટ બંધ કરવામાં આવ્યા છે.
(9:55 pm IST)