News of Thursday, 19th May 2022
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં પીવાના પાણીની તંગી સર્જાતા લોકોને પાણીનો જગ ખરીદવાની નોબત આવી
વડોદરા:શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં આવતા લોકોને પાણીના જગ ખરીદ કરી મંગાવવાનો વારો આવ્યો છે. માંડવી જમનાબાઈ હોસ્પિટલ પાસે ઝુબેર એપાર્ટમેન્ટ પાસે તેમજ આસપાસ વિસ્તારમાં પીવાનું પાણી 3 દિવસથી નહિ આવતા લોકો હેરાન છે પાણીના જગ લોકો મંગાવી રહ્યા છે. વડોદરા શહેરના આજવા સરોવરમાંથી પૂર્વ વિસ્તારમાં અને શહેરના ચાર દરવાજા વિસ્તારને પાણી પૂરું પાડે છે ત્યારે હાલમાં આજવા સરોવરની સપાટી ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે જેથી પૂર્વ વિસ્તારમાં પણ યુવાન પાણીનો કકળાટ શરૂ થયો છે. આ અંગે સામાજિક કાર્યકર ફારૂકભાઇ મ્યુનિસિપલ કમિશનર ને ટ્વિટ કરી પીવાના પાણીની તંગીનો ઉકેલ લાવવા માગણી કરી છે.
(6:12 pm IST)