News of Wednesday, 18th May 2022
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામે સુસાઇડ પોઇન્ટ પર જવાનો મેસેજ કરી યુવાને મહી નદીમાં છલાંગ લગાવી
આણંદ:જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં રહેતો યુવાન શૈલેષ ખોડાભાઈ ગોહિલ તા.15ના રોજ સવારે હું આસોદર દૂધ ડેરી પર નોકરી પર જઉં છું તેમ કહી ઘેરથી નીકળ્યો હતો. થોડા સમય બાદ તેને ઘેર તેના પિતાને મેસેજ કર્યો કે હું સિંધરોટ બ્રિજ પર સુસાઇડ પોઈન્ટ પર છું અને મારો મોબાઈલ અગરબત્તીના ખોખામાં છે. આ મેસેજ બાદ ઘરના સભ્યોએ શૈલેશની શોધખોળ કરી હતી છતાં તેનો પત્તો લાગ્યો ન હતો અને ગઈકાલે તેની લાશ સિંધરોટ નદીમાં તરતી મળી હતી.
(6:37 pm IST)