ગુજરાત
News of Wednesday, 18th May 2022

શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે?

બીએલ સંતોષ સાથે મુલાકાત થઇઃ હાર્દિકના પ્રવેશથી ભાજપની પાટીદાર વોટબેંક વધુ મજબુત થાય તેમ છે : એકાદ સપ્‍તાહમાં કરશે કેસરિયા

નવી દિલ્‍હી, તા.૧૮: હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતનો પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા બે મહિનાથી ભાજપના નેત
ાઓના સંપર્કમાં હતા. હવે હાર્દિક આગામી એક સપ્તાહમાં ભાજપમાં જોડાઈ શકે છે.
સૂત્રોના જણાવ્‍યા અનુસાર, હાર્દિક પટેલે તાજેતરમાં ભાજપમાં જોડાવા માટે બીએલ સંતોષ સાથે મુલાકાત પણ કરી હતી. અમિતભાઇ શાહ અને પીએમ મોદીની સહમતિ બાદ હાર્દિકને ભાજપમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો, ત્‍યારબાદ આ બેઠક થઈ હતી.
હાર્દિક પટેલને ભાજપમાં સામેલ કરવા પાછળ પાટીદાર વોટ બેંક મુખ્‍ય કારણ માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ હાલ હાર્દિક પટેલ હિમાચલ પ્રદેશના એક મંદિરમાં દર્શન કરવા ગયો છે. આવતીકાલે તેઓ અમદાવાદ આવશે અને પ્રેસ કોન્‍ફરન્‍સ કરશે.
આખરે આજે હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. હાર્દિક છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓથી નારાજ હતો અને તેના પક્ષ છોડવાની અટકળો પહેલાથી જ ચાલી રહી હતી.
હાર્દિક પટેલે કોંગ્રેસ પર કયા આરોપો લગાવ્‍યા?
* કોંગ્રેસ પાર્ટી દેશના હિત અને સમાજના હિતની વિરુદ્ધમાં કામ કરી રહી છે.
* કોંગ્રેસ પક્ષ વિરોધની રાજનીતિ પુરતો મર્યાદિત બની ગયો છે
* કોંગ્રેસ રામ મંદિરના નિર્માણ, CAA-NRC, કલમ ૩૭૦, GSTના અમલમાં અડચણ હતી
* જ્‍યારે દેશ મુશ્‍કેલીમાં હતો ત્‍યારે અમારા નેતાઓ વિદેશમાં હતા
તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ બનાવવામાં આવ્‍યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતળત્‍વથી નારાજ છે. ઘણી વખત તેણે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી હતી. તેમણે તો ત્‍યાં સુધી કહ્યું હતું કે કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા વરની નસબંધી થઈ ગઈ હોય. અહીં તેઓ કહેવાનો -યાસ કરી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી.
આજતક સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમની નારાજગી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી સાથે નથી, પરંતુ રાજ્‍યના નેતળત્‍વ સાથે છે.

 

(3:40 pm IST)