ગુજરાત
News of Tuesday, 17th November 2020

ડેડીયાપાડામાં બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે નિવલ્દા ચોકડીને બીરસા મુંડા ચોક જાહેર કરાઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા મથકે ક્રાંતિકારી આદિવાસી જનનાયક બિરસામુંડાજીની ૧૪૫મી જન્મ જયંતિ નિમિત્તે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, BTPના જીલ્લા પ્રમુખ ચૈતરભાઇ ડી.વસાવા, નર્મદા જિલ્લા કારોબારી અધ્યક્ષ બહાદુર ભાઈ વસાવા, BTP ડેડીયાપાડાના પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા તેમજ BTP, BTS ના હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ડેડીયાપાડા યાહમોગી ચોક પર આદીવાસીઓના કુળદેવી યાહમોગી માતા અને ધરતી આબા બીરસા મુંડાના આદીવાસીઓના રીત રીવાજ મુજબ પુજા વિધિ તેમજ ફૂલ હાર ચઢાવી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ મીશન સ્કુલ નિવલ્દા પાસે આવેલી ચોકડીને ડેડીયાપાડાના ધારાસભ્ય  મહેશભાઈ વસાવાના આગેવાની હેઠળ બીરસા મુંડા ચોક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, અને ત્યાર બાદ પૂજાવિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

(11:08 pm IST)