ગુજરાત
News of Thursday, 17th September 2020

નાંદોદ તાલુકામાં ૭ સહિત નર્મદા જિલ્લામાં ૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૮૩૪ એ પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં ગુરુવારે નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ભાટવાળા ૦૨ શંતોષ ચોકડી ૦૧ ઇન્દ્રપુરી સોસા. ૦૧ નાંદોદ ના વડિયા ૦૧ ભદામ ૦૨ ગરુડેશ્વર ના કે. કોલોની ૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૩૨ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૮ દર્દી દાખલ છે આજે ૧૩ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૭૫ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૩૪ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(12:02 am IST)