ગુજરાત
News of Thursday, 17th September 2020

દેત્રોજ તાલુકાના ઘેલડા મુકામે વૃક્ષારોપણ અને બાળકોને ફળ વિતરણનો કાર્યક્રમ યોજાયો

દેત્રોજ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો

તસવીરઃ- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે  દેત્રોજ તાલુકાના ઘેલડા  મુકામે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ અને બાળકોને ફળ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં લક્ષ્મણસિંહ સોલંકી, નરેન્દ્રભાઈ પટેલ,  રસિકલાલ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી, કિરીટસિંહ સોલંકી, અબાસણા, બટુકસિંહ, બટુકસિંહ દેકાવાળા, શંભુભાઈ પટેલ, આનંદીબેન પટેલ, હેમાબેન વ્યાસ, બાબુજી ઠાકોર, હરુભા સોલંકી, રમેશજી ઠાકોર, દાનભા ઝાલા, પરબતજી ઠાકોર, લાલભાઇ ડેલીગેટ તથા અન્ય કાર્યકર્તાઓએ હાજર રહી વૃક્ષારોપણ અને બાળકો ને ફળ વિતરણ કર્યુ હતુ.

(4:58 pm IST)