વડોદરામાં નરસિંહ મહેતાને પુષ્પાંજલી
રાજકોટ : વડોદરામાં ભકતકવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ પ્રસંગે પヘમિ વિભાગ નાગર મંડળ તેમજ નાગર સમાજના જ્ઞાતિ જનોએ વુડા સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓએ ફુલમાળા પહેરાવી હતી. પ્રચલીત એવી રચનાઓ જેમાં ‘આજની ઘડી છે રળીયામણી', ‘અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રીહરી' વગેરે ધુન ગવાઇ હતી. અરવિંદરાય વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાને મારબલની આ પ્રતિમા જયપુરમાં બનાવડાવવામાં આવી હતી. ડેપ્યુટી મેયર નંદા જોષી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ-વિપક્ષી નેતા અમિ રાવત સાથે નાગર અગ્રણી મૌલિન વૈષ્ણવ-અદભુત બુચ, પરાશર દ્વિવેદી-પ્રકાશ ખારોડ-મૈનાકી દેસાઇ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ટ્રાફિક બ્રિગેડના ટ્રસ્ટી સૂર્યકાંત અમીને પણ પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી.