પાલનપુરમાં વેપારીને લૂંટી લેનાર આરોપી ન ઝડપાતા સીંધી સમાજમા આક્રોશ
પાલનપુરઃ વેપારીને લૂંટી લેનાર આરોપીની ધરપકડ ન કરાતા સીંધી સમાજમા ભારે રોષ વ્યાપી ગયો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ત્રણ દિવસ પહેલા તસ્કરોએ એક વેપારીને લંટી લીધો હતો. ત્યારે ત્રણ દિવસ વિતવા છતાં આરોપીઓ નહીં ઝડપાતા સિંધી સમાજના લોકો રોષે ભરાયા છે. અને જિલ્લા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વાલ્મિકી વિસ્તારના લીલાશાહ કુટિયા પાસે દસ જેટલા શખ્સોએ ભરત રામચંદાણી નામના વેપારીને માર મારીને તેની પાસેથી રોકડ સહિત સોનાના દાગીના લુંટી ફરાર થઇ ગયા હતા. તે સમયે વેપારી ભરત રામચંદાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે આ મામલે પોલીસતંત્ર દ્વારા હજુ પણ કોઇ કાર્યવાહી ન થતાં સિંધી સમાજના ૧૦૦ થી વધુ લોકોએ ભેગા થઇને પોલીસના ઉપરી અધિકારીને આવેદનપત્ર આપીને આરોપીઓને ઝડપથી ઝડપવા રજૂઆત કરી હતી.