News of Wednesday, 16th September 2020
આંકલાવ તાલુકાના અંબાલી ગામની પરિણીતાએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી મચી જવા પામી
આંકલાવ: તાલુકાના અંબાલી ગામે રહેતી એક પરિણીતાએ આજે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અંબાલી ગામે રીન્કુબેન વિનોદભાઈ રાઠોડ (ઉ. વ. ૨૬) પતિ, બે સંતાનો તેમજ સાસુ-સસરા સાથે રહે છે. આજે બપોરના સુમારે ઘરે કોઈ હાજર ના હોત એ તકનો લાભ ઊઠાવીને તેણીએ ઘરના મોભ સાથે દોરડુ ભરાવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
(5:08 pm IST)