ગુજરાત
News of Friday, 15th October 2021

રાજપીપળા મિત ગ્રુપ દ્વારા સ્વ.ઈશાન માછીના જન્મ દિવસની યાદગીરી માં રક્તદાન કેમ્પ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તારીખ 15.10. 2021 ના રોજ સ્વ. ઈશાનકુમાર માછીના જન્મદિવસ નિમિત્તે સેવાભાવી કાર્યો કરતા મિતગ્રુપ દ્વારા રાજપીપળા કુમાર છાત્રાલય,  રીમાંડ હોમ્ હોસ્ટેલ અને મોવી ગામની હોસ્ટેલમા છાત્રોને પાકું ભોજન આપવામાં આવ્યુ,બપોર બાદ રાજપીપલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે મિત ગ્રુપ દ્વારા આ દિવસ નિમિત્તે રક્તદાનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં અનેક દાતાઓએ રક્તદાન કર્યું હતું જેને  રક્તદાન કરનાર દાતાઓને મીતગ્રુપ દ્વારા પર્યાવરણ જાગૃતિ ને ધ્યાનમાં રાખીને વૃક્ષોના રોપા આપવામાં આવ્યા હતા

(10:34 pm IST)