ગુજરાત
News of Monday, 15th August 2022

ભુજમાં કેજરીવાલ શું જાહેરાત કરશે :સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના નેતાઓ અને લોકોમાં પણ ભારે ઉત્સુકતા

લોકોની વધતી ઉત્કઠા વચ્ચે કેજરીવાલ ખોટાં વચનો આપ્યા કરે છે એવું લોકોના મનમાં ઠસાવવા ભાજપને મહેનત કરવી પડે છે

અમદાવાદ :આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે ફરી ગુજરાત આવી રહ્યા છે.કેજરીવાલના આગમનની ભાજપના કાર્યકરો આપ ના કાર્યકરો કરતાં પણ વધારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ પહેલાં અમદાવાદ, સુરત અને રાજકોટ આવી ગયેલા કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને એક પછી એક મોટી જાહેરાતો કરી છે. તેના કારણે ભાજપના નેતા દોડતા થઈ ગયા છે.

   કેજરીવાલે મતદારોના મોટા વર્ગને આકર્ષતી જાહેરાતો કરીને રાજકીય ગરમીનો માહોલ પેદા કરી દીધો છે અને ભાજપને બચાવની સ્થિતીમાં મૂકી દીધા છે. આ વખતે કચ્છના મુખ્યમથક ભુજ આવવાના છે. ત્યારે ભુજમાં કેજરીવાલ શું જાહેરાત કરશે તેના પર ભાજપના નેતાઓની નજર છે. કેજરીવાલે અમદાવાદ અને સુરતની મુલાકાત લીધી છે પણ તેમનું મુખ્ય ટાર્ગેટ સૌરાષ્ટ્ર-કચ્છ લાગી રહ્યું છે. તેથી સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના નેતાઓમાં વધારે ઉત્સુકતા છે. ભાજપના કાર્યકરો સ્વીકારે છે કે કેજરીવાલની ગુજરાતની યાત્રાઓ પછી તેમનું કામ વધી ગયું છે. કેજરીવાલ ખોટાં વચનો આપ્યા કરે છે એવું લોકોના મનમાં ઠસાવવા મહેનત કરવી પડે છે.

(11:16 pm IST)