ગુજરાત
News of Monday, 15th August 2022

અમદાવાદ સહીત નગરોમાં થાક ખાતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 290 નવા કેસ નોંધાયા:વધુ 635 દર્દીઓ સાજા થયા:આજે બે દર્દીનું મૃત્યુ :મૃત્યુઆંક 10,989 થયો : કુલ 12.51.031 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 58.975 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3719 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 290 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 635 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.51.031  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી બે દર્દીનું મૃત્યુ થયું છે,અમદાવાદ કોર્પોરેશનમાં બે દર્દીનું મૃત્યુ થયા છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.989 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.83 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 58.975 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12.00.10.105 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3719 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3700 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 290 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 105 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 39 કેસ, કચ્છ અને સુરત કોર્પોરેશનમાં 17-17 કેસ, ગાંધીનગરમાં 13 કેસ, સુરતમાં 12 કેસ, ભાવનગર કોર્પોરેશન અને ગાંધીનગર કોર્પોરેશનમાં 8-8 કેસ, અરવલ્લી અને રાજકોટમાં 7-7 કેસ, મહેસાણા,નવસારી , વલસાડ અને સાબરકાંઠામાં 6-6 કેસ,આણંદ ,મોરબી અને રાજકોટ કોર્પોરેશનમાં 5-5 કેસ,બનાસકાંઠા અને પંચમહાલમાં 4-4 કેસ, ગીર સોમનાથ અને વડોદરામાં 3-3 કેસ,અમરેલી,ભાવનગર, જામનગર અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે,

(8:11 pm IST)