News of Thursday, 15th February 2018
ધો. ૧૦-૧રના બોર્ડના પરિક્ષાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન
રાજકોટ તા. ૧પઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગલાંધીનગર દ્વારા આગામી ૧ર માર્ચ-ર૦૧૮ થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧ર ની બોર્ડની જાહેર પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા. ૧૯ થી તા. ર૮ દરમ્યાન કાર્યરત રહેશે.
આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટે કાઉન્સીલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ટોલ ફ્રી હેલ્પલાઇન નં. ૧૮૦૦ ર૩૩ પપ૦૦ છે. હેલ્પલાઇનનો સમય સવારે ૧૦-૦૦ થી સાંજે ૦૬-૩૦ નો છે. તેમ આર. આઇ. પટેલ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
(4:42 pm IST)