ગુજરાત
News of Wednesday, 14th February 2018

ભાજપનો સરપંચ અભિવાદન સમારોહ લોકસભાની ચૂંટણીની તૈયારીનો હિસ્સો :ભરતસિંહ સોલંકી

કાર્યક્રમમાં સરપંચ સિવાયના લોકો આવ્યા ;જે ગણ્યા ગાંઠ્યા સરપંચો આવ્યા તે ડરના કારણે આવ્યા

અમદાવાદ: ભાજપ દ્વારા સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ જણાવ્યું હતું કે,"ભાજપનો કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તૈયારીનો એક ભાગ છે.તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે હકીકતમાં ભાજપે સરપંચોના અધિકારો લઈ લીધા છે." કાર્યક્રમમાં સરપંચ સિવાયના લોકો આવ્યા હતા.જેટલા પણ ગણ્યા ગાંઠયા સરપંચો આવ્યા તે ડરના માર્યા આવ્યા હતા.

(10:14 pm IST)