ગુજરાતવાસીઓ જાગૃત થયાઃ પતંગોત્સવની સાથે-સાથે ચલાવ્યું પક્ષીબચાવ અભિયાન
ગુજરાતમાં એક બાજુ પતંગોત્સવ પૂરજોશમાં મનાવવામાં આવી રહ્યો છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના બચાવ માટે પણ પૂરજોશમાં અભિયાન ચાલી રહ્યું છે. રૂપાણી સરકાર દ્વારા એક તરફ કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો બીજીબાજુ આમલોકોએ પણ પક્ષી બચાવ કામગીરી ઉપાડી લીધી છે. વડોદરાના પાદરામાં 4 પક્ષીઓને સારવાર આપી આઝાદ કરાયા છે બે પક્ષીઓની હાલત નાજૂક હોય તેમની સારવાર ચાલી રહી છે.