અંકલેશ્વરમાં લઘુશંકા મુદ્દે મર્ડર: તમંચો કાઢી છાતીમાં ગોળી ધરબી દીધી
ઘરના દરવાજા પાસે બાથરૂમ કરવાના મુદ્દે ટકરાતમાં કટો કાઢી છાતીમાં ગોળી ધરબી દીધી
અંકલેશ્વર: અંકલેશ્વરના મંગલ દીપ સોસાયટી લઘુ શંકા મુદ્દે ગોળી મારી હત્યા કરવામાં આવતા દોડધામ મચી જવા પામી છે. 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. ઘરના દરવાજા પાસે લઘુશંકાના કરવાના મુદ્દે ટકરાતમાં કટો કાઢી છાતીમાં ગોળી ધરબી દીધી હતી. જીઆઇડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયરિંગ કરી ફરાર બનેલા આરોપી ઝડપી પડવાની કવાયત આરંભી હતી.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આવેલ મારુતિ ધામ મંગલ દીપ સોસાયટીમાં અદાજિત 40 વર્ષીય કિશોર ચિતરંજન મંડલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 3 દિવસ ઉપરાંત થી મુકેશ મંડલ ઈસમ સાથે મકાન આગળ ખુલ્લા લઘુશંકા કરવાના મુદ્દે ઝગડો ચાલી રહ્યો હતો જે ઝગડો આજ રોજ સાંજે ફરી થતા ઉશ્કેરાયેલ મકાન રહેનાર હત્યારા ઈસમે તમાચો લઇ આવી 3 રાઉન્ડ ફાયરિંગ કરતા એક ગોળી કિશોર ચિતરંજન મંડલનીને છાતીમાં વાગતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઘટના જાણ જીઆઈડીસી પોલીસ મથક માં થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને હત્યા બાદ ઘટના સ્થળે લાગેલી ભીડ વેર વિખેર કરી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો તેમજ ફરાર હત્યા કરનાર મુકેશ મંડલને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.